વીરાબાપા ના આશીર્વાદથી “વીરાબાપા ધામ” ના નિર્માણનું પવિત્ર કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
ભારત તેમજ વિશ્વના વિવિધ ભાગોમાંથી આવતા સાંગાણી પરિવારના સભ્યો અને અનેક ભક્તોને વર્ષોથી રહેવા અને મૂળભૂત સુવિધાઓ માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, કારણ કે વીરાબાપા નું પવિત્ર સ્થળ અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે.
આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ભક્તો માટે સુવિધાસભર અને આધ્યાત્મિક વાતાવરણ ધરાવતું “વીરાબાપ ધામ” બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.
આ પવિત્ર સેવા યજ્ઞને પૂર્ણ કરવા માટે આપના સહયોગ અને આશીર્વાદની જરૂર છે.