પૂ. શ્રી વીરાબાપા ધામ
આજે આપણા બાપા ના આશિષ થી આપણો સાંગાણી પરિવાર ખૂબ સુખી છે અને બાપા માં અતૂટ શ્રદ્ધા ધરાવે છે ત્યારે આપણા પરિવાર સદસ્ય માંથી અમુક સદસ્યો ને પ્રેરણા થઈ અને વિચાર આવ્યો કે બાપા ની જગ્યા એ હવે દર્શનાર્થે આવવાનું સરળ હોવાથી અને વર્ષ દરમ્યાન અનેક આપણા પરિવારના સદસ્યો અને શ્રદ્ધાળુ લોકો બાપા ની જગ્યાએ દર્શન માટે આવે છે તો શા માટે એ લોકો માટે અહીં આરામ માટે ની સગવડ ઊભી ના કરીએ ?? બસ આ વિચાર થી જ શરૂ થઈ ગઈ બાપા ના આંગણે પૂ.વીરાબાપા ધામ નું નિર્માણ કાર્ય કરવાનું.
જોકે આ ભગિરથ કાર્ય બાપા ના આંગણે કરવાનું હોવાથી સૌ પ્રથમ બાપા ની મંજૂરી લેવી પડતી હોય છે અને તે માટે તારીખ 25.02.25 ના રોજ બાપા ના ચરણ માં ચિઠ્ઠી મૂકી અને કુંવારકા દીકરી ના હાથે ઉપડાવતા બાપા ની “હા” આવી ગઈ અને અમારા સંકલ્પ ને જોમ મળી ગયું. (Image photo attached)
આગળ હવે આ કાર્ય માં આગળ વધવા માટે સમસ્ત પરિવાર નો સાથ સહકાર આવશ્યક હોવાથી અમોએ બાપા ના આંગણે તારીખ 20.04.25 ના રોજ હવન કરી ને તેના માધ્યમ થી શક્ય એટલા સદસ્યને એકત્રિત કર્યા અને તમામ યોજના રજૂ કરી સાથ માંગ્યો. અને બાપાની દયાથી હવન કાર્ય સફળ રહ્યું અને સદસ્યોએ સાથ આપવાની ખાતરી પણ આપી.
બસ હવે તો વિધિસર આગળ વધવાનું હોવાથી સૌ પ્રથમ જે સદસ્યો ને આ બાપા ના ધામ ના નિર્માણ ના વિચાર આવેલ તેને 12 સભ્યો ની ટીમ બનાવી અને સાથે ભવિષ્યમાં પણ પારદર્શકતા રહે તે માટે તારીખ 12.10.2025 ના રોજ એક ચેરિટેબલ ટ્રસ્ટ ની રચના કરી જેનું નામ “શ્રી વીરાબાપા સાંગાણી ચેરિટેબલ ટ્રસ્ટ” રાખ્યું અને આ ટ્રસ્ટ માં 6 ટ્રસ્ટી ની નિમણૂંક પણ કરી છે જે આ પ્રોજેક્ટ ને પૂર્ણ કરવામાં સતત સાથે રહેશે. આ સિવાય આ ટ્રસ્ટ ના નામનું current બેંક એકાઉન્ટ તારીખ 26.11.2025 ના રોજ The Junagadh commercial co.op.bank Ltd., Junagadh માં ખોલાવેલ છે જેનો નંબર
001131700004018 અને IFSC Code HDFC0CJCCBL છે.
આમ, તમામ જરૂર કાર્યવાહી પૂરી કરી લીધા બાદ તારીખ 06.12.25 ના રોજ પૂ.બાપા ની જગ્યા માં ભૂમિ પૂજન કરેલ છે (ફોટા upload કરેલ છે whatsapp group) માં અને 11.12.2025 ના રોજ બાપા ની જગ્યા એ જે ઝાડી ડાખરા ઊગેલ તેને JCB થી દૂર કરી જગ્યા ને લેવલ કરેલ છે ને હવે પૂ.વીરાબાપા ધામ નિર્માણ કાર્ય ટૂંક સમય માં ચાલુ કરી દેવાની શરૂઆત કરી દીધી છે. બિલ્ડિંગ પ્લાન પણ તૈયાર જ છે, દાતાઓ તરફથી દાન પ્રવાહ પણ ચાલુ થઈ ગયો છે, વેબસાઇટ વર્ક પણ પ્રોગ્રેસમાં છે.
તો આ રીતે બાપા ના આશિષ થી પૂ.બાપા ની જગ્યા માં એક ભવ્ય ” પૂ.શ્રી વીરાબાપા ધામ” નું નિર્માણ કાર્ય શરૂ થઈ રહ્યું છે અને આપ સૌ પરિવાર સદસ્ય ને વિનંતી છે કે આ ભગીરથ અભિયાન માં આપ પણ યથાશક્તિ, રકમ ના રૂપમાં, વસ્તુ ના lરૂપ માં, શ્રમના રૂપ માં, કે કોઈ એક બિલ્ડિંગ ના ભાગ માં Donner તરીકે ફાળો આપો તેવી વિનંતી છે.