સમસ્ત અમારા સાંગાણી પરિવાર ના સુરાપુરા
સમસ્ત અમારા સાંગાણી પરિવાર ના સુરાપુરા એવા શ્રી પૂ. વીરાબાપા કે જે મજેવડી નજીક ગલીયાવર ગામ ની નજીક આવેલ મનીષભાઈ કાળુભાઈ પટેલ ના ખેતરમાં વર્ષો થી બિરાજેલા છે.આ અમારા પૂ.બાપા સમસ્ત સાંગાણી પરિવાર માં 11 મી પેઢી એ થઈ ગયા છે અને ઘી ના વેપાર કરતા હતા.એ સમય માં તો પગપાળા અથવા તો ગાડા થી એક જગ્યા એ થી બીજી જગ્યા વેપાર થતા હતા અને આ દરમ્યાન જ એ સમયે એવી ઘટના બની કે સિંધી લૂંટારા દ્વારા અન્ય સાથે થયેલ લૂંટ ને રોકવા અને બીજા ના જીવ બચાવવા બાપા ની લડાઈ એ સિંધી લૂંટારા સાથે થઈ અને લડતા લડતા બાપા ત્યાં ઘવાયા અને બીજા ને બચાવી ને અત્યારે જે ખેતર મા બિરાજેલ છે ત્યાં છેલ્લે દેહત્યાગ કરેલ, અને આ રીતે 11 મી પેઢી એ આપણા પરિવાર ના વીરાબાપા બીજા ના જીવ બચાવવા જતા પોતે જીવ ખોયો એટલે એ સાંગાણી પરિવાર ના સુરાપુરા તરીકે સ્થાપિત થયા,અને સુરાપુરા તરીકે આપણા સાંગાણી પરિવારમાં પૂજનીય બન્યા.
પૂ.બાપા ની વાત જ કરી રહ્યા છીએ તો એ પણ જણાવી દઈ એ કે આપણા આ બાપા ના અનેક ચમત્કાર આપણા ઘણા સાંગાણી પરિવાર ને અને ત્યાંથી નીકળતા વટેમાર્ગુ ને થયેલ છે અને એ રીતે એ હાજરાહજૂર બાપા તરીકે પણ ત્યાંના આજુબાજુ ના ગામડાઓમાં પ્રચલિત છે.
સમસ્ત અમારા સાંગાણી પરિવાર ના સુરાપુરા
બાપા જ્યાં બિરાજમાન છે ત્યાં વર્ષો પેહલા તો સાવ જંગલ વિસ્તાર હતો અને કોઈ અવર જવર પણ નોતી થતી. કાળક્રમે ફેરફાર થતા અને આપણા બાપા આ જગ્યા એ બિરાજમાન છે તેવો ખ્યાલ આવતા તે સમય ના આપણા પરિવારે બાપા ને સુરાપુરા બાપા થી પૂજા થઈ શકે એ માટે ખુબજ નાની એવી દેરી ની સ્થાપના કરી. સમય જતા અને અવરજવર સાનુકૂળ બનતા ધીમે ધીમે ઉતરોતર દેરી માં પરિવર્તિત કાર્ય કરતા કરતા આજે આપણા બાપા ખુબજ સરસ મોટીદેરી માં સ્થાપિત છે અને આપણા પરિવાર ના અનેક સદસ્ય અહીં આવી બાપા ની પૂજા અર્ચના કરે છે.
આપણા આ બાપા ખુબજ શાંત અને સરળ પ્રકૃતિ ના છે એ કયારે બી કોઈ ભૂલ બદલ ક્રોધિત થયા હોય અને કુટુંબ ને કોઈ નુકસાન પોહચાડ્યું હોય તેવું સાંભળવા મળ્યું નથી. એ ખૂબ જ પ્રેમાળ છે અને એને આંગણે આપણો પરિવાર જ્યારે દર્શનાર્થે જાય છે તો ત્યાં તેની દેરી એ નાસ્તો કરો તો બાપા ખુબ જ રાજી થાય છે એવી વાયકા છે અને એટલે જ ત્યારથી એ પરંપરા બની કે કોઈ બી પરિવાર સદસ્ય બાપા ને આંગણે આવે તો ત્યાં એ નાસ્તો સાથે લઈ જાય છે અને નાસ્તા નો આનંદ બાપા ની હાજરી માં લે છે અને બાપા ને ખુશ કરે છે.